મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા
મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
SHARE
મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
મોરબીના વોર્ડ નં. 9 માં આવતી અવની સોસાયટીના રોડનું કામ મંજૂર થયું હતું જે વિકાસકામનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા સહિતના હાજર રહ્યા હતા. ઉલેખનીય છે કે, અવની સોસાયટીમાં લોક ભાગીદારીથી આશરે 550 મીટરનો રોડ બનશે જેમાં 80 ટકા રકમ સરકારની અને 20 ટકા રકમ સ્થાનિક લોકોની અને અંદાજે 68 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે.