સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ


SHARE





તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે ? તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાન સાથે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે” તેવું કહીને  બોલાચાલી કરી હતી અને બાદમાં છરી વડે હુમલો કરીને યુવાનને છાતીના ભાગે છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઇ બારોટ (25મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ રહે.બન્ને માળિયા વનાળીયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપીએ કહ્યું હતું કે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે” ત્યારે ફરિયાદએ કહ્યું હતું કે “મેં દરવાજો તોડેલ નથી” જેથી દિલીપભાઈ રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને છાતીના ભાગે છરી વડે ઇજા કરી હતી જ્યારે નિલેશભાઈ રાઠોડએ ફરિયાદીને પગના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી કમલેશ ઉર્ફે નિલેશભાઈ હીરાભાઈ બાંભણવા (28) એ પંકજભાઈ પાલાભાઇ બારોટ અને દિનેશભાઈ પાલાભાઈ બારોટની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ ફરિયાદીના ભાભી સાથે બોલાચાલી કરી હતી અને તેને ફરિયાદી બોલાચાલી કરવાની ના કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યાર બાદ  દિનેશભાઈ બારોટે ફરિયાદીને પાછળથી પકડી રાખ્યો હતો અને પંકજભાઈ બારોટે છરી કાઢતા ફરિયાદીએ છરી પકડવા જતા જપાજપીમાં પંકજભાઈ બારોટે ફરિયાદીને છાતી, ડાબા ખભા, ડાબા હાથમાં કાંડાથી કોણીની વચ્ચે છરીના ઘા મારીને ઇજાઓ કરી હતી અને લાકડાના ધોકા વડે જમણા પગમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News