મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ


SHARE







તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે ? તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાન સાથે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે” તેવું કહીને  બોલાચાલી કરી હતી અને બાદમાં છરી વડે હુમલો કરીને યુવાનને છાતીના ભાગે છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઇ બારોટ (25મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ રહે.બન્ને માળિયા વનાળીયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપીએ કહ્યું હતું કે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે” ત્યારે ફરિયાદએ કહ્યું હતું કે “મેં દરવાજો તોડેલ નથી” જેથી દિલીપભાઈ રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને છાતીના ભાગે છરી વડે ઇજા કરી હતી જ્યારે નિલેશભાઈ રાઠોડએ ફરિયાદીને પગના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી કમલેશ ઉર્ફે નિલેશભાઈ હીરાભાઈ બાંભણવા (28) એ પંકજભાઈ પાલાભાઇ બારોટ અને દિનેશભાઈ પાલાભાઈ બારોટની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ ફરિયાદીના ભાભી સાથે બોલાચાલી કરી હતી અને તેને ફરિયાદી બોલાચાલી કરવાની ના કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યાર બાદ  દિનેશભાઈ બારોટે ફરિયાદીને પાછળથી પકડી રાખ્યો હતો અને પંકજભાઈ બારોટે છરી કાઢતા ફરિયાદીએ છરી પકડવા જતા જપાજપીમાં પંકજભાઈ બારોટે ફરિયાદીને છાતી, ડાબા ખભા, ડાબા હાથમાં કાંડાથી કોણીની વચ્ચે છરીના ઘા મારીને ઇજાઓ કરી હતી અને લાકડાના ધોકા વડે જમણા પગમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News