હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ


SHARE







મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ વર્ષ 2017 થી “Hand to Hand Blood Donation” ના સંકલ્પ સાથે 24×7 માટે શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરમાં કોઈપણ બ્લડ ગ્રુપની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ગ્રૂપ દ્વારા દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેથી આ સંસથાના સેવાયજ્ઞથી આજ સુધી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી જવાથી નવ જીવન મળ્યું છે. અને લોકોની જિંદગીઓ બચાવવામાં સફળતા મળી છે.

રક્ત એ કુદરતની એવી અમૂલ્ય ભેટ છે, જે આજ સુધી કોઈપણ મેડિકલ ટેકનોલોજી દ્વારા બનાવવું શક્ય બન્યું નથી. એક માણસ જ બીજા માણસને રક્ત આપી શકે છે ત્યારે માનવતાને જીવંત રાખવા અને રક્તદાન મહાદાનના પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે મોરબીમાં યુવા શક્તિ ગ્રુપને વધુમાં વધુ રક્તવીર રક્તદાતાઓની જરૂર છે. અને  મોરબીમાં રહેતા કોઈ પણ વ્યક્તિ કોઈપણ દર્દીને તાત્કાલિક જરૂરિયાતના સમયે જો રક્ત આપવા ઇચ્છતા હોય તો તેઓએ પોતાનું પૂરું નામ, બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર લખીને સંસથાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર વ્હોટ્સએપમાં સેન્ડ કરવા માટે અનુરોધ કર્યો છે. કેમ કે, ખરા સમયે કરવામાં આવેલ રક્તદાનથી કોઈના પરિવારને નવી આશા મળે છે અને કોઈની જિંદગી બચાવીને નવું જીવન આપી શકાય છે.






Latest News