મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE







મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીમાં આવેલ રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિના ઘરે પાણી આવતું ન હતું ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે તેને પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું જે બાબતનો ખા રાખીને આધેડની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને માથાના ભાગે લાકડાના ધોકા મારીને તેમજ ધારિયા જેવુ હથિયાર પેટ અને હાથના ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ગામ નજીક રવાપર રેસીડેન્સી સામે આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઇ શેરસીયા (57એ હાલમાં સંજયભાઈ મોતીભાઈ રાજપરા અને મોતીભાઈ રાજપરા રહે. બંને રામપ્રસાદ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે સંજયભાઈના ઘરે પાણી આવતું ન હતું જેથી ફરિયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું.જે આરોપીઓને સારું નહીં લાગતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ રાત્રિના સમયે એપાર્ટમેન્ટની બહારના ભાગમાં શેરીમાં ફરિયાદી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને સંજયભાઈએ ધોકાના ત્રણ ઘા ફરિયાદીને માથામાં માર્યા હતા.જ્યારે મોતીભાઈએ ધારિયા જેવું હથિયાર ફરિયાદીને હાથ અને પેટમાં માર્યું હતું અને ઈજા કરી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News